You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજિત દીપકેએ શું કહ્યું?
મોદી સરકારમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ ખબરની પુષ્ટિ કરી છે.
કૉક્રોચ જનતા પાર્ટીએ તેનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે 'અમે કરી દેખાડ્યું.'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને સંબોધતાં અભિજિત દીપકેએ કહ્યું કે, "આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયું છે તેના માટે મને હીરો ન બનાવશો. આ ભૂલ ન કરશે, મને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને કારણે મને હીરો ન બનાવશો. એક માણસને હીરો બનાવવાના કારણે આ કચરો થયો છે. એક વ્યક્તિને તમે બંધારણ અને બધાં સંસ્થાનોથી મોટી બનાવી દીધી. જ્યારે તમે એક વ્યક્તિને મુદ્દા, સંસ્થાનથી મોટી બનાવો છો તો તે વ્યક્તિ દેશનો કચરો જ કરશે. મને કોઈ પણ હીરો ન બનાવો."
ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે તેમણે એક પત્ર તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન